My first blog as my gazal

ગઝલ 


છંદ વિધાન :
[ગાલગાગા -ગાલગાગા-ગાલગાગા]

*પંચનામાં*  

જિંદગી આખી ગઈ છે વંદનામાં,
એમને પામી જવાની ઝંખનામાં.

હું હ્ર્દયથી નીકળીને સ્હેજ માટે-
છું ફસાયો પાંપણોની કંદરામાં.

હું તને ચાહું જ છું એ સત્ય છે,છે, 
ક્યાં કર્યાં જાહેરમાં મેં સંતનામાં!

છે ખબર કે હું ધખેલી લાશ છું તો -
સાવ ખોટાં શું કરે છે પંચનામાં !

ભર સભામાં એ 'અમન' ચાલ્યાં ગયાં તો-
શું પછી બાકી રહ્યું તું રંજવામાં !

       - ડૉ.નિષાદ ઓઝા 'અમન'

Comments

  1. શુભેચ્છાઓ સર..
    બ્લોગ આપને અનેક નવા આયામો સર્જવામાં સહયોગી બને !!!

    ReplyDelete

Post a Comment